________________
સદગુરુ-ભક્તિરહસ્ય તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચિત સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
–શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સહવાસસ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન શરણ અખંડિત આપનું ટાળે ઉર અજ્ઞાન, એવું, ભાનું, ચિંતવું, ધયાનું ધરી ઉર ધ્યાન; બાધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્યનિધાન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org