SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અર્ચિત્ય તુજ માહાત્મ્યના, નથી પ્રફુલ્લિત ભાવ; અ'શ ન એકે સ્નેહનો, ન મળે પદ્મ પ્રભાવ. ૬ ૬. ઉપર જણાવ્યા પ્રમાણે સ્વપરના શ્રેયની સફળતા સાધવા અર્થ હે પ્રભુ, આપનું માહાત્મ્ય, આપનું સામર્થ્ય, આપની શક્તિ કોઈ અચિંત્ય અલૌકિક, અદ્ભુત છે. ૩૦ ઇન્દ્ર, ચક્રવતી આદિ ત્રણ લેાકને જીતવા સમ, એવા તે મળવા ઘણા સુલભ છે, પણ ઇન્દ્રિયે અને મનને જીતે તેવા મળવા અત્યંત દુર્લભ છે. આપે તે ઇન્દ્રિયજય અને મનેાજયથી ત્રણ લેાકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય કરીને, અધિક પરાક્રમ દર્શાવ્યું છે. અને તેથી સમસ્ત જગતમાં જેની આણુ વતે છે, એવા મહાદિ શત્રુએના, આપે પરાજય કરી, મેાક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરી છે, તે આપનુ અચિંત્ય અદ્ભુત પરાક્રમ ત્રણ લેાકમાં વંદનીય છે. તેથી આપનું માહાત્મ્ય, આપની આત્મ પ્રભુતા, કોઈ અર્ચિત્ય, અનુપમ, અલૌકિક, સર્વોત્કૃષ્ટપણે શે।ભી રહી છે. તે સર્વોત્તમ દશા વિચારતાં, તે ઉપર અત્યંત ઉલ્લાસભાવ આવવા જોઈ એ, પ્રફુલ્લિતતા વધી જવી જોઈ એ, આન ંદની ઉર્મિઓ ઉછળવી જોઈ એ, અને એકતાર સ્નેહ ઉભરાવા જોઈ એ, તેમ થતું નથી. તેવા ઉલ્લાસભાવ, પ્રેમભાવ કે પ્રભાવ મારામાં જાગતા નથી. નહિ તે। આપનું અપાર સામર્થ્ય ચિતવતાં મારામાં પણ એવું જ સામર્થ્ય રહેલું છે તે જાગૃત થાય, પ્રગટ થાય, પુરુષાર્થ ખળ વધે અને અજ્ઞાન, રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓને જીતવા પરમ પ્રભાવ, સર્વાંलृष्ट શક્તિ સામર્થ્ય પ્રગટે અને પ્રાંતે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy