SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં હું પામરશું કરી શકું?', એ નથી વિવેક ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ ભભાવ તજી દઈ અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપની ભાવનામાં, ચિંતવનમાં ચિત્તની એકાગ્રતારૂપ પરિણતિ, તે આત્મા અર્પણતા, તે મારામાં આવી નથી, અથવા બાહ્યભાવે મારું મનાતું સર્વસ્વ આપના ચરણમાં અર્પણ કરી, આત્મશ્રેય માટે એક આપજ મારે પરમ શરણરૂપ છે, એવી કેવળ અર્પણતા, સદ્ગુરુ પ્રત્યે શરણ ભાવ, મારામાં આવ્યું નથી, તેથી સદ્ગુરુને અનન્ય આશ્રય પ્રાપ્ત થયે નહિ અથવા આશ્રયન વેગ મળે તે તે સફળ કરવા મન વચન કાયાથી અપ્રમત્ત પુરુષાર્થ વડે તેને આરાધ્યા નહિ. અથવા અર્થાતરે આપના પરમાર્થ સ્વરૂપને જાણ્યા વિના સામાન્યપણું કરી, આપનાં ચરણમાં હું વાસ્તવિક આત્મસમર્પણ ન કરી શક્યું, જેથી પૂર્વે અનેકવાર સુગ મળવા છતાં પણ આપના સત્સંગ અને સત્સવાના લાભથી વંચિત રહ્યો અને તેથી મન વચન કાયારૂપ ત્રિગ પ્રવૃત્તિ જેથી આપની અનુગામિની રહી શકે એવે, સશાસ્ત્રોમાંથી (૧) પ્રયેાગવીરેનાં જીવન રહસ્યરૂપ ધર્મકથાનુગ, (૨) કર્મ તંત્ર રહસ્યરૂપ કરણાનુગ, (૩) સદાચાર વિધાનરૂપ ચરણાનુગ અને (૪) વિશ્વપદાર્થ રહસ્યરૂ૫ દ્રવ્યાનુયોગ એ ચારે અનુએને આશ્રયપૂર્વક, સ્વાધ્યાય આદિ ન કરી શક્યા અને તેથી તેના પરમાર્થ રહસ્યને ન પામે. ૪ ૫. બેડીઓથી જકડાયેલ કેદી, જેમ કેઈ પણ કિયા સ્વાધીનપણે કરવા સમર્થ થતું નથી, તેમ કર્મરૂપ બેડીથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy