SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું મંત્ર તંત્ર એષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. ૩ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ. ૪ ભાવથી નવીન કર્મ ઉપાર્જન કરી દુઃખદરિયામાં અનંત કાળ સુધી ભમ્યા કરે છે. ૨ ૩. ભવભવનાં પાપને ટાળવા કે દૂર કરવા માટે આ વિશ્વમાં મંત્ર તંત્ર કે એવું કઈ બીજું ઔષધ કે ઉપાય નથી. માત્ર એક વીતરાગ ભગવંતની વાણ, તેની ઉપાસના, એજ પરમ ઉપાય છે. એ સિવાય બીજે કઈ ઉપાય છે જ નહિ. એથી સાધના પ્રતાપે જીવ, અજીવ આદિ સંબંધી તત્ત્વજ્ઞાન પામી પુણ્ય, પાપ, આસવ, બંધ આદિ હેય તને ત્યાગી સંવર, નિજ, મેક્ષ આદિ ઉપાદેય તને સાધી જીવ શુદ્ધસહજાન્મસ્વરૂપરૂપ અબંધ મુક્તદશા પામી કૃતાર્થ થાય છે. ૩ ૪. અહા ! વીતરાગ વચનેનું શું અદ્ભુત માહાય ! એ વીતરાગ પ્રભુનાં વચને તે સાક્ષાત્ અમૃત છે. પરમ શાંત રસથી પરિપૂર્ણ મૃતસંજીવની છે. તેથી પરમેસ્કૃષ્ટ શાંત સમાધિસ્થ દશા પ્રાપ્ત થાય છે. માટે શાંતરસનાં મૂળ કારણરૂપ અને સંસારરેગ મટાડવા રામબાણ ઔષધિ એ જ છે. એની ઉપાસના મહાભાગ્ય સત્વશાળી છે જ કરી શકે છે. છતાં સંસારાભિલાષી કાયર જનેને એ વિષયનું વિરેચન કરાવનારાં વીતરાગનાં વચને અનુકૂળ આવતાં નથી, રુચિકર થતાં નથી, એ આશ્ચર્ય છે! ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy