________________
૨૬૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે!
જે પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છેતે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગેચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણુને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે વ્યક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે!
જે કદી પ્રગપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈનથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org