________________
૭ પદ્મના પત્ર
૨૬૫
પ્રત્યક્ષ, અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાના સંચાગને વિષે તેને ષ્ટિ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ ખાધારહિત સ`પૂર્ણ માહાત્મ્યનુ ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેઢી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષાને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરુષાસ સ્વરૂપને પામ્યા છે; આધિ વ્યાધિ, ઉપાધિ, સ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પુરુષાએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળેા સ્વસ્વરૂપમાં સહેજ અવસ્થાન થવાના ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વાં સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહા !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સ` કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિ ય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણુની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છછ્યા વિના માત્ર નિષ્કારણુ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્યાં છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International