________________
૨૬૩
છ પદને પત્ર
ત્રીજ પદ: “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામકિયાસહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્માપણુ કિયાસંપન્ન છે, કિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયેગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્માદ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગરઆદિને કર્તા છે.
ચેથે પદઃ “આત્મા જોક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ,અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે, તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે..
પાંચમું પદઃ “મેક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું', કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેને અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ચોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયેગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org