________________
છ પદને પત્ર મુંબઈ, ફાગણ, ૧૯૫૦
અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને અત્યંત
ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક્દર્શનના નિવાસનાં સર્વેત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ: આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હોવાનું પ્રમાણ છે.
બીજી પદઃ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સંચાગે અનુભવ એગ્ય થતા નથી. કેઈ પણ સંગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા ચોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હેય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org