________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૭ જાણનારરૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણે. (૬૪)
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય;
એવો અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. ૬૫
જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કેઈને ક્યારે કદીપણ અનુભવ થાય નહીં. ૬૫
કેઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થાય નહીં તેને નાશ પણ કેઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય છે. ૬૬
કોઈ પણ સંયોગેથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પિતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેને લય બીજા કેઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જે બીજા પદાર્થમાં તેને લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐકયતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણુને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬)
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય;
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭
ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્ષ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તે તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org