________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૨. વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી, અને આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈન્દ્રિયના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રી, પ્રાણુ આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ. ૫૩
દેહ તેને જાણ નથી, ઈન્દ્રિયે તેને જાણતી નથી અને શ્વાસે છૂવાસરૂપ પ્રાણ પણ તેને જાણતા નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે; નહીં તે. જડપણે પડયા રહે છે, એમ જાણે. ૫૩
સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈિતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતે છતાં તે તે અવસ્થાએથી જુદે જ રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હવાપાણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એ પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એ જેને સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વતે છે, કઈ દિવસ તે નિશાનીને ભંગ થતો નથી. ૫૪
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫
ઘટ, પટ આદિને તું પિતે જાણે છે, તે છે? એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિને જાણનાર છે તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org