SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રીમદ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું દેવ–નારકાદિ ગતિના “ભાંગા આદિનાં સ્વરૂપ કેઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જા નથી, અને તે ભંગજાળને કૃતજ્ઞાન જે સમજે છે, તથા પિતાના મતને, વેષને આગ્રહ રાખવામાં જ મુક્તિને હેતુ માને છે. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન, ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છું” એવું અભિમાન ધારણ કર્યું છે. કવચિત્ પરમાર્થના ઉપદેશને ચોગ બને તે પણ લેકેમાં પિતાનું માન અને પૂજાસકારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર કે “ગવાસિષ્ઠ જેવા ગ્રંથ વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સતશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લેપે, તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વતે. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈક પામે તેને સંગ જે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવને સંગ બીજા જે જીવને થાય તે પણ ભવભાગરમાં ડૂબે. ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy