SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ અંતિમ સંદેશ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત, ૫ ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રજ્ઞાવંત સદ્ગુરુનું અવલંબન, શરણ પ્રાપ્ત થાય તેને સર્વ શાને સાર સહેજે સમજમાં આવતાં તે સુખધામ એવું નિજ પરમાત્મપદ, તેને બેધ, લક્ષ, પ્રતીતિ, અનુભવ પામી પરમ કૃતાર્થ થઈ જાય છે. માટે સદ્ગુરુ એ આત્માથીને સુગમ અને સુખખાણ એવું પરમ અવલંબન છે. ૪ –૬–૭. સદ્ગુરુના શરણના પ્રતાપે જીવને અત્યંત ભક્તિપૂર્વક જિન ભગવાનનાં ચરણની ઉપાસના, આત્મજ્ઞાની મુનિજનના સત્સંગ પ્રત્યે અતિશય આદર, ભાવ, પ્રેમ, રુચિ, અને મન-વચન-કાયાના ચેગને યથાશક્તિ સંયમ આદિ ગુણો પ્રગટે. તેમજ ગુણીજનના ગુણે પ્રત્યે અતિશય પ્રમેદભાવ જાગે. અને મન–વચન-કાયાના ગની બાહ્ય પ્રવર્તન ટળી જઈ અંતર્મુખવૃત્તિ થાય. ત્યાં દશ્યને અદશ્ય કરવારૂપ અને અદશ્ય એવા પરમાત્મતત્વને સર્વત્ર પ્રગટ દશ્ય કરવારૂપ દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય. તેથી શ્રી સદ્ગુરુની કૃપાથી જિન ભગવાનને સિદ્ધાંત, જે પ્રથમાનુગ, કરણાનુયેગ, ચરણાનુગ, અને દ્રવ્યાનુગરૂપ ચાર પ્રકારનાં શાસ્ત્રમાં ગુંફિત થયેલો છે તેનું રહસ્ય પ્રાપ્ત થાય. જેમ ભગવાન દ્વારા માત્ર “ઉપનેવા, વિઘનેવા, ધુવા, એ ત્રિપદીને બંધ થતાં જ મહા પ્રજ્ઞાવંત એવા ગણધરને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy