SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ અંતિમ સંદેશ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈફ લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ ગીજને પરમ પ્રેમે નિરંતર ઈચ્છે છે, ઉપાસે છે. તે પદ સયોગીસ્વરૂપ એટલે દેહાદિ વેગ સહિત, દેહધારી, જીવન્મુક્ત ચાર ઘાતકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પદમાં સ્થિત એવા જિન ભગવાનને વિષે પ્રગટપણે પ્રકાશી રહ્યું છે. ૧ ૨. તે મૂળ શુદ્ધ સહજ આત્મા સિદ્ધ ભગવાન અરૂપી પદે સ્થિત હેવાથી તેમના જ્ઞાનદર્શન, સુખ, વીર્ય આદિ અનંત આત્મિક ગુરૂપ સ્વભાવ, અરૂપીપણાને લીધે, આ જીવને અનાદિથી માત્ર રૂપી પદાર્થને જ પરિચય હેવાથી, સમજમાં આવે દુર્ગમ છે. અર્થાત્ સહેજે ખ્યાલમાં આવવા રોગ્ય નથી. માટે તે સ્વરૂપ સગી જિન, દેહધારી સાકાર ભગવાનના અવલંબનથી સહેજે સમજમાં આવવા ગ્ય ગણી ભગવાન જિનનું અવલંબન એ આત્માથીઓને પરમ આધાર, અનન્ય શરણરૂપ ઉપકારી જાણવાયેગ્ય છે. ૨ ૩. જેવું ભગવાન જિનનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યયુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમપદ પ્રગટ છે, તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે. એટલે મૂળ સ્વરૂપે પરમાત્મા જિન અને આ આત્માના સ્વરૂપમાં ભેદ નથી. પણ વર્તમાનમાં જિન ભગવાનને પરમાત્મપદ વ્યક્ત, પ્રગટ છે, અને આ આત્માને તે કર્મોથી આવરિત છે. છતાં તે કર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy