SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન ; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ- ૨૦ (૩) તથાગતિ–અગ્નિની શિખા. સહેજે ઊંચે જાય તેમ સ્વાભાવિક સિદ્ધાત્માની ઊર્ધ્વગતિ થાય છે. (૪) અસંગત્વ-માટીને લેપ કરેલી તુંબડી અગાધ જળની મધ્યમાં નાખવામાં આવે તે પણ લેપ ઓગળી છૂટો થતાં તે ઉપર તરી આવે, તેમ કર્મરૂપ લેપનો નાશ થતાં શુદ્ધ આત્મા લેકાગે જઈ સ્થિતિ કરે છે. અને ત્યાં અનંતકાળ મોક્ષસુખમાં વિરાજમાન થાય છે. ૧૯ ૨૦. એ પરમમુક્ત સિદ્ધપદરૂપ સર્વોત્કૃષ્ટ શાશ્વત સુખ સમાધિનું ધામ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્મપદ અને તેનાં અનંત સુખ શાંતિ આનંદ આદિ સ્વરૂપનું વેદના અને જ્ઞાન જેને પ્રગટ છે એવા તેરમે ગુણસ્થાનકે વર્તતા અરિહંત સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવાન પણ તેનું પાણીથી વર્ણન કરી શકવા સમર્થ થતા નથી. એ ભગવાનની પાંત્રીશ અતિશયવાળી સર્વશ્રેષ્ઠ દિવ્ય વાણી છતાં સિદ્ધપદરૂપ પરમ મુક્ત પરમાત્માનું પદ તેનાથી વર્ણવી શકાવા ગ્ય નથી કારણ કે તે પદ તે સાક્ષાત અનુભવગમ્ય છે, વચનાતીત હવાથી વાણીને વિષય નથી. તે તેવા પરમપદનું વર્ણન બીજા ની અલ્પ જ્ઞાન સહિતની વાણીથી કયાંથી થઈ શકે ? તે તે માત્ર અનુભવગમ્ય જ છે. ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy