________________
તે સિવાય અનેક અન્ય ઉચ્ચતમ કાવ્યરૂ૫ અમૂલ્ય અમૃત-ઝરણું પ્રસંગોપાત્ત પ્રવાહરૂપ નીકળેલા આ ગિરિરાજમાંથી પ્રવહી રહ્યાં છે, તે પણ એ જ રીતે સસાધકને આશ્ચર્યકારક રીતે અપૂર્વ અનુપમ ઉપકાર કરી રહ્યાં છે !
ઉપરોક્ત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને કેટલાંક નિત્યનિયમપૂર્વક આરાધવા ગ્ય અમૂલ્ય કાવ્ય, શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત “નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) માં પ્રસિદ્ધ થયેલાં છે. જે અત્યુત્તમ છે અને મુમુક્ષુઓએ મનનપૂર્વક વિચારવા, ઉપસવા ગ્ય છે.
એકદા એક પરમાર્થ પ્રેમી સાધમ સુજ્ઞ મહાનુભાવે પરોપકાર ભાવનાભૂષિત પ્રેરણાત્મક આગ્રહ ભરી સૂચના મને લખી જણાવી કે શ્રીમદ્જીનાં કાવ્યના અર્થ અનેક જિજ્ઞાસુઓ સમજવા માગે છે, તેથી તે તમે લખે તે અનેકને ઉપચેગી થાય. ત્યારે તે તેમને મેં જણાવ્યું કે “સપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” એવા અનંત અગાધ આશયવાળી એ મહાપુરુષની વાણના અર્થવિસ્તાર કરવા એ આપણી શક્તિ બહારનું કામ છે. છતાં આપણું અત્યંત અ૫ મંદમતિ અનુસાર કવચિત્ તે સ્પષ્ટાર્થ કરવા પ્રયાસ કરીએ તો પણ બાકી ઘણા પરમાર્થ રહી જવા ગ્ય છે, તેમજ વાચકને પોતાને ઉગવાયેગ્ય મંથન કે વિચારણામાંથી રેકી એટલામાં જ થંભી દેવા ગ્ય થાય તેમ છે. માટે તે પ્રયાસ કરે ઉચિત લાગતું નથી.
શેડો વખત વીત્યા પછી તે મહાનુભાવ તરફથી ફરીથી એમ પારમાર્થિક પ્રેરણાત્મક ભાવ ભરી સૂચના મળી કે તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org