________________
અસાર અને અપાર એવા સંસારમાં, ચારેય ગતિમાં, ચોરાસી લાખ એનિમાં પ્રાયે સર્વ જી જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ ત્રિવિધ તાપમય દુઃખદાવાનલથી સદાય ભડભડ બળી રહ્યા છે ! તેમાંથી બચેલા પરમ શાંતિના ધામરૂપ, માત્ર એક આર્ષદૃષ્ટા તત્ત્વજ્ઞાની સ્વરૂપસ્થ મહાપુરુષે જ છે, જેમનું શરણ ત્રણ લેકને તે તાપાગ્નિથી બચાવવા પરમ અવલંબનરૂપ છે. તેથી ધન્ય છે તે શીતળ શાંત સ્વરૂપસ્થ વીતરાગ વિભુએને ! અને ધન્ય છે તેમના સનાતન સન્માર્ગને !!
રાગદ્વેષ અજ્ઞાન જનિત સંસાર તાપગ્નિને નિવારી અત્યંત શાંત શીતળ સ્વરૂપસ્થ આત્મનિમગ્નદશાથી ગિરિરાજ હિમાલય સદશ સુસ્થિર, ઠરીને હિમરૂપ બનેલ આ મહાત્મા શ્રીમદ્ રાજચન્દ્ર પિતાનું તે સર્વોત્કૃષ્ટ શ્રેય સાધી ગયા પરંતુ સત્સાધકને માર્ગદર્શક થાય તેવું અપૂર્વ અલભ્ય સાહિત્ય, નિષ્કામ કરુણાશીલતાથી બક્ષતા ગયા તે તેમને અહો! અહે! અપરિમિત ઉપકાર.
આ પરમાર્થ ગિરિરાજ હિમાલયમાંથી પતિતપાવની, અધમેદ્ધારિણી, શિવસુખકારિણી, મોક્ષચારિણી, મહા અમૂલ્ય અને અપૂર્વ તીર્થરૂપ શ્રી “આત્મસિદ્ધિરૂપ પવિત્ર ભાગરથી મહા નદી શીતળ શાંત અમૃતરસ રેલાવતી પ્રવાહી રહી છે. અને અનેકાનેક સસાધકને, સંસાર પાપ, તાપ અને અશુદ્ધિને ટાળી નિષ્પાપ નિર્મળ શાંત અને શીતળ કરી, સનાતન સુખનિધાન શિવમાર્ગમાં પ્રગતિ કરાવવા પ્રત્યક્ષ પરમ ઉપકારભૂત બની રહી છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org