SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જડ ચેતન વિવેક ૧૪૫ જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હેય. ૩ બંધ મોક્ષ સોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણું નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ ૩. તે ત્યાં પ્રશ્ન થાય કે જે જડ ત્રણે કાળ જડ જ રહે તેમ હોય અને ચેતન પણ ત્રણેય કાળમાં ચેતન રહે તેમ હોય તો પછી બંધ અને મેક્ષ આદિ અવસ્થા ઘટતી નથી. અથવા પ્રવૃત્તિ કે નિવૃત્તિ સંભવતી નથી. અર્થાત્ ચેતન ચેતન જ રહે તે તે સદાય મુક્ત જ રહે એટલે એને જડ સાથે બંધાવાને પ્રસંગ જ કેમ આવે? અને જડ જડરૂપે જ રહે છે તેને પણ ચેતન સાથે બંધરૂપે એકમેક થવાનો પ્રસંગ કેમ ઉદ્ભવે? અર્થાત્ બંધ, મેક્ષ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ કંઈ સંભવે નહિ. ૩ ૪. એનું સમાધાન એમ છે કે બન્ને પદાર્થો ત્રણે કાળમાં પિતપોતાના સ્વરૂપે જ રહે છે. છતાં વિભાવ અવસ્થામાં તેમને પરસ્પર સગા સંબંધ થાય એ વસ્તુસ્વભાવ છે. જ્યાં સુધી આત્માને પિતાના સ્વરૂપનું અભાન, અજ્ઞાન છે ત્યાં સુધી દેહાદિ પરમાં અહં મમવરૂપ બ્રાંતિથી, અને ઈચ્છાનિષ્ટ આદિ કલ્પનાજનિત રાગદ્વેષાદિ વિભાવથી તે જડ એવાં કર્મ પર માણુઓને સંગસંબંધે ગ્રહણ કરે છે. અને તે અજ્ઞાન, રાગદ્વેષાદિ વિભાવે ટળી જાય ત્યાં સર્વ કર્મ–પરમાણુથી મુક્ત થઈ જાય છે. એમ બંધ કે મેક્ષ એ સંગસંબંધથી કહેવાય છે. પરંતુ એ બંધ કે મેક્ષ બને અવસ્થામાં જડ કે ચેતન કઈ તિપિતાના સ્વભાવને અર્થાત્ જડ જડપણને અને Jain Education Gernational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy