________________
૨૩ ૨૬૬] જડ ચેતન વિવેક રાળજ, ભાદ્રપદ
સુદ ૮, ૧૯૪૭ ૧ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨
જડ ચેતન વિવેક ૧. જડ સદાય જડપણે પરિણમે અને ચેતન સદાય ચેતનપણે પરિણમે, પણ પિતા પોતાને સ્વભાવ છેડીને કેઈ અન્યરૂપે કદાપિ પરિણમે નહીં. અર્થાત્ જડ કદી ચેતનપણે પરિણમે નહિ કે ચેતન કદી જડપણે પરિણમે નહિ. ૧ ૨. જડ છે તે ત્રણે કાળે જડરૂપે જ રહે છે અને ચેતન છે તે ત્રણેય કાળમાં ચેતનરૂપે જ રહે છે. એ વાત પ્રગટ અનુભવરૂપ છે. તેથી તેમાં કદાપિ સંશય થવા એગ્ય નથી. જડની ગમે તેટલી અવસ્થાએ પલટાય પણ તે સર્વ જડરૂપે જ રહે છે અને ચેતનની પણ ગમે તેટલી અવસ્થાઓ બદલાય પણ તે સર્વ ચેતનરૂપે જ રહે છે. જડની કેઈપણ અવસ્થા કદી પણ ચેતનરૂપ થાય કે ચેતનની કઈ અવસ્થા કદી પણ જડરૂપ થાય એમ કદાપિ બનવા એગ્ય જ નથી, એમ નિઃસંદેહ છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org