________________
જ્ઞાન મીમાંસા
૧૨૩ આ જીવ ને આ દેહ એ, ભેદ જે ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩
તે સિવાય ગ્રંથમાં જ્ઞાન નથી, કાવ્યરચનારૂપ કવિઓની ચતુરાઈમાં જ્ઞાન નથી. તેમાં અનેક પ્રકારના મંત્ર તંત્ર આદિની સાધના જ્ઞાન નથી. તેમ ભાષાજ્ઞાન, વાક્ષટુતા, વકતાપણું આદિ પણ જ્ઞાન કહેવાય તેમ નથી. તેમ તેવાં કેઈ અન્ય સ્થાને જ્ઞાન કહ્યું નથી. અર્થાત્ ત્યાંથી જ્ઞાનપ્રાપ્તિ સુલભ નથી. જ્ઞાન તે જ્ઞાનીમાં જ છે. અને ત્યાંથી જ તેને લક્ષ, અનુભવ, પ્રાપ્તિ કરો. તે માટે તેની આજ્ઞા બેધ ભક્તિ અંગીકાર કરો. તે જ
સ્વરૂપલક્ષને પામી જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકાશે અને તે જ્ઞાન દશાને જ ભગવાને જ્ઞાન કહ્યું છે. ૨ ૩. આ જીવ, અને આ દેહ એમ બને સાવ જુદા, જેમ છે તેમ, જે ભાસ્યા નથી, અર્થાત્ ભિન્ન એવા જડ દેહથી પિતાના ચૈતન્યસ્વરૂપ આત્માને પ્રગટ અનુભવ થયે નથી, તે ત્યાં સુધી જે કંઈ પચખાણ કે ત્યાગ વ્રત આદિ કસ્વામાં આવે છે તે મેક્ષાર્થે થતાં નથી. આત્મા જાણ્યા પછી જ યથાર્થ ત્યાગ થાય છે, અર્થાત્ આત્મા સિવાય અન્ય સર્વ પર, હેય, અસાર, અશ્રેયરૂપ સાક્ષાત્ ભાસવાથી યથાસંભવ જે જે વ્રત પચખાણ ત્યાગ આદિ થાય છે તે સર્વ એક આત્માથે, સંસાર વાસના રહિત થાય છે. તેથી તે મેક્ષાથે સફળ છે. તે પહેલાં પણ આત્માર્થના લક્ષે કર્તવ્ય છે. છતાં ત્યાં ભેદજ્ઞાનના અભાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org