________________
૧૦૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જીવાજીવ સ્થિતિને જોઈ
ટ ઓરતે શંકા ખેઈ; એમજ સ્થિતિ ત્યાં નહીં ઉપાય,
ઉપાય કાં નહીં? ” શંકા જાય. ૩ ઈત્યિાદિ પ્રકારે સર્વજ્ઞાપદિષ્ટ લેકનું સ્વરૂપ વિસ્તારથી જાણતાં તેમાં રહેલા જીવ અછવાદિ દ્રવ્યની સ્થિતિ જોઈ તત્સંબંધી જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ આતુરતા મટી અને શંકા હતી તે ટળી ગઈ. નિઃશંકતા પ્રાપ્ત થઈ. લેક ત્રણે કાળ એ રૂપે રહેવાને છે. તેને અન્યરૂપે કરવા કેઈપણ ઉપાયે કઈ પણ સમર્થ નથી. તે અન્યરૂપે કેમ ન બને? વગેરે શંકાઓનું સમાધાન થઈ ગયું. ૩
૪ જે આ સર્વ આશ્ચર્યકારક સ્વરૂપ જાણે તે જ્ઞાની છે. આ છ દ્રવ્યાત્મક લેકનું સંપૂર્ણ જ્ઞાન છે જેને કેવળજ્ઞાન ભાસ્કર અંતરમાં પ્રગટે તેને થાય. તે જ્ઞાનમાં જણાય કે લેકમાં બંધનદશામાં રહેલા સંસારી જીવે છે તથા બંધ રહિત મુક્તદશામાં વિરાજમાન સિદ્ધ પરમાત્માઓ લેકાગ્રે અનંતસુખમાં સદાને માટે સ્થિતિ કરી રહ્યા છે. સંસારસ્થ સૌ જીવો પિતપોતાનાં બાંધેલાં કર્મોથી સંસાર પરિભ્રમણ કરી રહ્યા છે, તેમાંથી જે કર્મ ટાળવા પુરુષાર્થ કરી મુક્ત થવા પ્રવર્તે છે તે મુક્ત થાય છે. બીજા કેઈ બીજાનાં કર્મો લઈ શકે કે ટાળી શકે તેમ નથી. તેથી આવી સંસારની સ્થિતિ જોઈ તેથી ઉદાસીન થઈ સદાને માટે હર્ષ શેક ટાળીતે વીતરાગ ભગવાન સદૈવ સમતા સુખમાં નિમગ્ન થાય છે. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org