________________
લોકસ્વરૂપ રહસ્ય
૧૦૩
મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉ યેગી કને; પ્રથમ અંત ને મયે એક, લોકરૂપ અલોકે દેખ. ૨ ૨. તેથી મૂળ સ્થિતિ એટલે લેકનું સ્વરૂપ કે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ જે મને પૂછે તો હું એમ જ કહું કે ગિ, એટલે આત્મસ્વભાવનું મુંજન જેને થયું છે એવા જ્ઞાની પુરુષે કહ્યું છે તેવું જ અથવા સગી કેવળી સર્વજ્ઞ ભગવાને પિતાના અનંત જ્ઞાનમાં તે જેવું જોયું અને જણાવ્યું છે તેવું જ છે. કારણ કે એ વીતરાગ ભગવાન સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી તેમજ પાંત્રીશ અતિશય યુક્ત સર્વશ્રેષ્ઠ દિવ્ય વચનગ ધરાવતા હેવાથી એજ સર્વશ્રેષ્ઠ યથાર્થ જ્ઞાતા અને વકતા સંભવે છે. અને તેથી તેમનો ઉપદેશ પરમાર્થે સર્વથા નિશંકપણે માનવા ગ્ય, આરાધવા ગ્ય, શ્રેયસ્કર ગણવા ગ્ય છે.
એ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતાનંત અલકાકાશ કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે તેની મધ્યમાં જીવ, પુત્ર ગેલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ દ્રવ્યના સમૂહુરૂપ લેક, પુરુષાકારે રહ્યો છે. અને તે આદિ મધ્ય અને અન્તમાં એટલે ત્રણે કાળમાં એજ રૂપે રહેવાને છે.
પુરુષ બે પગ પહેળા કરી કમરે હાથ દઈ ઊભું રહે તે આકારે લેક છે. તેને પૂર્વ પશ્ચિમ વિસ્તાર આ પ્રમાણે છેઃ છેક નીચે બે પગના અંતરનો વિસ્તાર સાત રાજુ પ્રમાણ છે. મધ્યમાં કટિ પ્રદેશ એક રાજુ પ્રમાણ છે. બે હાથની એક કેણીથી બીજી કેણી સુધી વિસ્તાર પાંચ રાજુ પ્રમાણે છે. અને ઉપર શિદેશને વિસ્તાર એક રાજુ પ્રમાણ છે. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org