SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ બને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત મણિયથી, જે પરમ પ્રેમે પૂરતા પચી કળા બારીસ્થી; એ વેઢ વીટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીબુ ધરતા તે પરે. કાપેલ રાખી કાતરા હરકેઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સેઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને. ૪ વામાં કશીય કચાશ રાખતા નહોતા એવા રાજાધિરાજ પણ પળમાં બેભાન થઈને, પૃથ્વી ઉપર પડી, મરણ પામી ગયા છે. માટે હે ભવ્યજનો ! નકકી જાણજો અને મનમાં ચક્કસ માન કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૨ ૩. દશેય આંગળીમાં જે માણેક જડેલી સુંદર વીંટીઓ પહેરતા હતા, તથા કાંડામાં સુવર્ણની ઝીણી નકશીની કારીગરીવાળી પિચી પરમ પ્રીતિપૂર્વક પહેરતા હતા, તે સર્વ વેઢ અને વીંટી આદિ છેડીને, મેં ધોઈને, ચાલ્યા ગયા. માટે હે ભવ્ય ! આ નક્કી જાણજો અને મનમાં ચિક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૩ ૪. જે વાંકી મૂછ કરીને, ફાંફડા થઈને તે ઉપર લીંબુ રાખતા હતા, તથા જે સુંદર કાપેલા વાળથી સૌ કેઈનાં મનને આકર્ષતા હતા, તે પણ સંકટમાં પડીને, સગવડે મૂકીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy