________________
ભિક્તિને ઉપદેશ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે,
નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહે,
| ભજીને ભગવંત ભવંત લો. ૪ ગતિમાં, જ્યાં જ્ઞાન ગુણ અત્યંત આવરણ પામી જઈ, જીવ જડ, જ્ઞાનશૂન્ય જે થઈ અત્યંત દુઃખ પામે છે, તેવી અપેગતિનાં જન્મમરણાદિનાં દુઃખ, અબંધદશા પ્રાપ્ત થાય તે જ ટળે છે. અને ત્યારે જ સર્વોત્તમ સગતિ કે પંચમ ગતિરૂપ મેક્ષપદને સાધી આ જીવ પરમ શ્રેય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે..
એ પાપને ટાળવાને અને મોક્ષરૂપ પરમ શ્રેય પામવાને આ શુભ મંગળદાયક ગ, અવસર પરિપૂર્ણ રીતે સાર્થક થાય તેમ છે, યાવત્ સફળતા સાધી કૃતાર્થ થાઓ. અર્થાત્ ભગવાનને ભજીને ભવભ્રમણને અંત આણે. ૩ ૪. મન નિરંતર અશુભ ભાવે, પાપના વિચારેથી અશુદ્ધ, મલિન થઈ રહ્યું છે, તેને પ્રભુસ્મરણરૂપ ભક્તિમાં જોડી શુભભાવ વડે શુદ્ધ, નિષ્પાપ, પવિત્ર બનાવે. અરહિંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન એ પાંચેય શુદ્ધ સહજ આત્મસ્વરૂપના અનુભવ સુખમાં વિરાજિત હેવાથી પરમે સ્થિત: પરમેષ્ટિન: પરમ પદે સ્થિત એવા પરમેષ્ટિ ભગવાન કહેવાય છે. તેમને નમસ્કાર કરવારૂપ જે નવકારમંત્ર કે પરમેષિમંત્ર તેમાં મનને લીન કરી, જગતમાં સર્વોત્તમ એવાં એ પાંચ પરમપદ તેનું સ્મરણ ધ્યાન ચિંતવન કરે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org