SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીર્થી મંડપમાં ૧૪ પ્રતિમાઓ છે. તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ ઉપર લેખ છે. તેને ભાવાર્થ આ છે – સં. ૧૭૨૧ ના જેઠ સુદિ ૩ ને રવિવારે મહારાજા ધિરાજ અભયરાજના રાજ્યમાં નાડલાઈના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના શ્રેષ્ઠી નાથાએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ બનાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રીવિજયપ્રભસૂરિએ કરી. આ દેરાસરની પાસે પાણીને કુંડ છે. કેટ બાંધે છે પણ જીર્ણ થઈ ગયો છે. દરવાજા ઉપર નગારખાનું છે. દેરાસરની પાસે વિશાળ ચગાન પડેલું છે. ૪. ગામ બહાર ટેકરી નીચે આવેલું શ્રી અજિતનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. મૂળ નાયકની મૂર્તિ પરિકયુક્ત છે. તેની ઊંચાઈ ૧ હાથ છે. ૫. જેષલ પર્વતની ટેકરીના મૂળમાં કંઈક ઊંચાણ ભાગમાં આવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું કટ સહિત શિખરબંધી જિનાલય શ્રીસંઘે બંધાવેલું છે. ઘણાં પગથિયાં ચડ્યા પછી મૂળ ભૂમિકા આવે છે. મૂળનાયકની ૧ હાથની ઊંચી મનહર પ્રતિમા પરિકરવાની છે. તેની સં. ૧૬૨૨માં પ્રતિષ્ઠા થયેલી છે. મૂળનાયકની એક બાજુએ એક મૂર્તિ છે, જ્યારે બીજી તરફ એકલતીર્થી છે. કુલ ૩ પાષાણ પ્રતિમાઓ છે, જેમાંની એક પ્રતિમા સ્થાપત્યની દષ્ટિએ દશમા સૈકાની જણાય ૯. આ અભયરાજ નાડલાઈને મેડતિયા જાગીરદાર હોવાને સંભવ છે. બીજી મૂર્તિઓ ઉપર સં. ૧૭૨૧ માં શ્રીરાજસૂરિએ પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy