SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નાડલાઈ ૬૫ નામે અને તપેસરજીનું મહાદેવ મંદિર “કેસિયા ના નામે પ્રસિદ્ધ છે. આ હકીકતનું સૂચન અહીંના શિલાલેખમાં પણ છે. તપેસરજીનું મહાદેવ મંદિર પણ ગામમાં પૂર્વાભિમુખ વિશાળ અને શિખરબંધી છે. આની ચારે દિશામાં દેવકુલિકાએ છે, જેમાં ઉત્તર અને દક્ષિણ તરફની દેરીઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિ સ્થાપિત છે. ગામથી દક્ષિણ દિશામાં ત્રીશેક કદમ દૂર મહાજનના સ્મશાનની પાસે સંડેરકગચ્છીય શ્રીયશોભદ્રસૂરિને મૂતિ સહિત સ્તૂપ છે અને તેની પાસે તપેસરજી ચગીને પણ સ્તૂપ છે. કહેવાય છે કે યશભદ્રસૂરિને સ્તૂપ જવને શતા વધે છે જ્યારે તપેસરજીને સ્તૂપ એટલે જ ઘટે છે. ૨. ગામ બહાર પહાડીની નીચે શ્રી આદીશ્વર ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. આમાં પાષાણની ૫ અને ધાતુની ૧૫ પ્રતિમાઓ છે. ૩. ગામની બહાર પૂર્વ બાજુએ આવેલી ટેકરી નીચે શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. હાલમાં જ પ્લાસ્ટર કરાવીને મંદિરને સુશોભિત બનાવ્યું છે. મૂળનાયકની પીળા પાષાણની મૂર્તિ પંચતીર્થી યુક્ત છે. તેના પર સં. ૧૯૯૯ ને લેખ છે, તેમાં શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કર્યાને ઉલેખ છે. ભમતીમાં જમણી બાજુએ એક જ તરફ ૧૪ દેરીએ છે એક દેરીમાં સર્પની આકૃતિ છે. તેના મુખમાં માળા. બતાવી છે અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે ગૂઢ ૮. પરિોશષ્ટ બીજું : લેખાંકઃ ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy