SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નાડેલાઈ ' શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સં. ૧૬૮૬ના એક લેખથી પ્રગટ થાય છે કે, આ મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવેલું હતું. વળી, પરિકરના લેખથી સમજાય થાય છે કે, આ મંદિરને પહેલે ઉદ્ધાર મંત્રી સાયરે, બીજે ઉદ્ધાર જુદા જુદા ગામના સંઘેએ મળીને અને ત્રીજો ઉદ્ધાર મંત્રી સાયરના વંશજોએ કરાવ્યું હતું એમ જણાય છે. શ્રી આદિનાથ ભગવાનની વેતવણી પ્રતિમા ૩ ફીટ ઊંચી છે. આ મંદિરમાં પાષાણની કુલ ૨૪ મૂર્તિઓ છે. એક ગુરુમૂર્તિ પણ છે. સં. ૧૫૯૭ના એક લેખથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર સંડેરકગચ્છીય શ્રીયશોભદ્રસૂરિ સં. ૯૬૪માં મંત્રબળે વલભીપુરથી અને બીજા મતે ખેડનગરથી ઊઠાવીને અહીં લાવ્યા હતા એ વિશે એક ચમત્કારિક દંતકથા જાણવા જેવી છે. આચાર્ય યશોભદ્રસૂરિ અને શૈવ દેગી તપેસરજી બંને બાળપણના મિત્ર હતા. તેમણે એક જ ગુરુ પાસે વિદાધ્યયન કર્યું હતું. બંને મંત્રવિદ્યાના અઠંગ અભ્યાસીઓ હતા. બંનેમાં કેણુ ચઢિયાતું છે એ જાણવા પરસ્પરમાં અનેક વખત વાદવિવાદ થતા. યશોભદ્રસૂરિ તપેસરજીથી જરાય એાછા ન ઊતરતા. લેકમાં યશેભદ્રસૂરિના વિજયનાં ગીત ગવાતાં. આ કારણે તપસરજીના મનમાં ઈર્ષ્યા અને શ્રેષનાં બીજ રોપાયાં. યશોભદ્રસૂરિને હરાવવા માટે તપેસરજી કઈ પણ તક ઝડપી લેતા. ૫. એજનઃ લેખાંકઃ ૨૭ - ક. એજનઃ લેખાંકઃ ૨૫, ૨૬ * ૭. એજનઃ લેખાંક: ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy