SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર બીજા અનેક મજબૂત કિલ્લાઓને લીલા માત્રમાં જીતી લઈ પરાક્રમ બતાવ્યું હતું. આ રાજા સિંહની સમાન પિતાના ભુજાબળથી ઉન્નત હતું અને તેણે ગરુડની સમાન બનીને સર્પ જેવા સ્લેચ્છ રાજાઓને નાશ કરી અનેક શુભ લક્ષણવાળા હાથીઓને સંગ્રહ કર્યો હતે. અનેક અભિમાની અને શૌર્ય શાળી રાજાઓની મસ્તકાવલી તેના ચરણકમલમાં વંદન કરતી હતી. આ (રાજા) રાજાઓની દુશ્મનાવટને પિતાના હસ્તદંડથી તોડવામાં મહાસમર્થ અને રાજ્યશ્રી–લક્ષ્મીદેવીની સાથે ગેવિદની માફક અખ્ખલિત લીલાવિલાસ કરતે હતે. એને પ્રભાવ તેજ દુનીતિરૂપી ઝાડીને બાળવામાં અગ્નિ સરખું કામ તે હતું. તેના આવવાથી પશુઓનાં ટેળાં સમાન શત્રુ રાજાઓ નાસી જતા હતા. ગુજરાત અને દિલ્લીના બાદશાહએ એને રાજ છત્ર અને હિંદુ સુલતાનની પદવી આપી હતી. આ (રાજા) સુવર્ણ છત્રને આગાર, છ દશનીઓને આધાર અને ચતુરગ રાજલક્ષ્મીરૂપી નદીને સાગર હતું. આ (રાજા) કીતિ, ધર્મ, પ્રજાપાલન અને સત્તાદિ ગુણોથી શ્રીરામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓનું અનુકરણ કરતે હતે. આવા સાર્વભોમ શ્રીકુંભકર્ણ રાણાના વિજયમાન રાજ્યમાં પિરવાડ જ્ઞાતિમાં મુકુટ સમાન સંઘપતિ સાંગણને પુત્ર સં. કુરપાલ, તેની ભાર્યા કામલદે, તેમના પુત્ર સં. ધરણક, જે રાણુ કુંભકર્ણને પ્રીતિપાત્ર, ચુસ્ત જૈનધમ, અને શરીર પર વિનય, વિવેક, ધૈર્ય, ઔદાર્ય, શુભ કર્મ, નિર્મલ શીલ આદિ અભુત ગુણરૂપ અલંકારેને ધારણ કરતે હતે. મહમ્મદ સુલતાનનું ફરમાન પ્રાપ્ત કરનાર સંઘવી ગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy