SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ રાણકપુર . ઝુમ્મરે, વેલબુટ્ટા વગેરે આકૃતિઓ શિલ્પકળાના અજોડ નમૂના સમાન છે. મંદિરમાં પ્રવેશ કરતાં જે ઘુમટ આવે છે તેમાં એક સ્થળે આચાર્ય મહારાજ બેઠેલા છે અને તેમની પાછળ ૩ સાધુઓ હાથમાં એ રાખીને ઊભા હેય એ ભાવ કેરેલો છે. પશ્ચિમ તરફના મેઘનાદ મંડપમાં પ્રવેશ કરતાં ડાબા હાથના એક સ્તંભમાં બરાબર પ્રભુની સન્મુખ ધરણશાહ અને પતિ દેવાની નાની આકૃતિઓ કરેલી છે. બીજા ઘૂમટમાં શ્રી નેમિનાથ ભગવાનને પંચકલ્યાણકને ભાવ દર્શાવ્યા છે. એક તરફ શ્રીકૃષ્ણનો મહેલ, શ્રીનેમિનાથ ભગવાનની જાન, લગ્નની ચેરી, પશુઓનું પાંજરું, પશુઓને છોડી મૂકવાં અને રથને પાછા વાળવાનું આખુંયે ઘટનાદસ્થ ઉત્કીર્ણ છે. એક તરફ એક ગોવાળિયે લાકડીના ટેકે ઊભે રહેલે છે, તેની પાસે પશુએ ચરી રહ્યાં છે અને એક તરફ છાશ લેવતી સ્ત્રીઓનું દશ્ય ઉપસાવ્યું છે. બીજા એક ખૂણામાં સમવસરણને ભાવ આલેખે છે. આ સિવાય બીજાં કેટલાયે ઘટના જોવાલાયક છે. - પશ્ચિમ તરફના સભામંડપના એક થાંભલા ઉપર સં. ૧૬૧૧ ના વૈશાખ સુદિ ૧૩ ને લેખ છે, જેમાં ઉસમાનપુરના રહેવાસી શ્રેષ્ઠી ખેતાએ “મેઘનાદ” નામને મંડપ કરાવ્યાને ઉલ્લેખ છે. ૧૦ ચાર ખૂણના મંદિરે ઉપર ૪ ઘૂમટે છે, જે ૪૨૦ સ્તંભ ઉપર રહેલા છે. દરેક ચાર સમૂહની મધ્યના ઘૂમટો ૧૦. જુઓ : પરિશિષ્ટ બીજું લેખાંકઃ ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy