SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ રાણકપુરની પંચતીથી તેમાં સં. ૧૫૦૭, સં. ૧૫૦૭, સં. ૧૫૦૭ અને સં. ૧૫૦૩ ના લેખે છે. આ દેરાસરના રંગમંડપ અને મુખમંડપ દરેકને જુદા જુદા છે. આ રીતે બધા મળીને કુલ ૨૪ મંડપ ઘૂમટવાળા છે. મંદિરની કળા-કારીગરી: - મૂળ ગભારાની બહાર મૂળનાયકની સન્મુખ આરસ પાષા-- સુના એક જ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં તેરણો તે આબુની શિલ્પકળાની યાદ અપાવે એવાં મનેહર છે. પહેલાં અહીં ૧૨૮ તેરણે હતાં. હવે માત્ર ચાર જ બચ્યાં છે. તેમાં આગળના અને પાછળના ભાગમાં સાત-સાત મળીને કુલ ૧૪ જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે. આવાં જ બીજાં ૨ તોરણે છે, તેમાં પણ એ જ પ્રકારે જિનપ્રતિમાઓ અંકિત હોવાથી કુલ ૪ર મૃતિએ ગણાય છે. આ તારણેને મારવાડમાં “વાંદરવાવ”નામે ઓળખે છે. પ્રથમના તેરણના ઉપરના ભાગમાં ડાબી બાજુએ સુંદર ભાવ ઉત્કીર્ણ છે, જેમાં તીર્થંકરની માતા શયનાવસ્થામાં ૧૪ સ્વપ્ન નિહાળી રહ્યાં હોય એવું આલેખન પથ્થરમાં ઉત્કીર્ણ છે. સભામંડપના ઘૂમટમાં ગોળાકારે ૧૬ વિદ્યાદેવીઓ અને વચ્ચે કળાભર્યું વેલબુટ્ટાનું સુશોભન આલેખ્યું છે જે આબુદેલવાડાના મંદિરની આબેહૂબ નકલ સ્વરૂપ જણાય છે. મંદિરની છતમાં અને થાંભલાઓમાં વૈવિધ્યભર્યું શિલ્પલાવણ્ય તે આંખને આંજી દે તેવું ઊભરાય છે. એક જ મસ્તકમાં જોડાયેલી ૫ પૂતળીએ, કમલપત્રની બારીક નકશી, કલામય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy