SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર દેવસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થયેલી છે. આ ઉપરથી અનુમાન થાય છે કે, ચારે મૂર્તિઓની શ્રીસેમસંદરસૂરિએ એક જ સમયે પ્રતિષ્ઠા કરી હશે, પરંતુ તે પછી ઉપર્યુક્ત મૂર્તિને કઈ કારણસર બદલવી પડી હશે. વળી, ચારે મૂર્તિઓ સપરિકર છે, પરંતુ એનાં પરિકરે ખંડિત થતાં તેને કાઢી નાખી - સં ૨૦૦૯ની પ્રતિષ્ઠા વખતે નવાં પરિક ગઠવ્યાં છે. મૂળગભારામાં ઉપયુક્ત ચૌમુખજી સિવાય બીજી ૧૮ પાષાણ મૂર્તિઓ છે અને ધાતુની ૨ પંચતીથીઓ છે. આ મૂર્તિઓ પૈકી એક પાષાણ મૂર્તિને ગૌતમસ્વામીની મૂર્તિ તરીકે ઓળખાવાય છે. તેમની પાસે એ નથી, પરંતુ એક હાથમાં મુહુપત્તિ અને બીજા હાથમાં નવકારવાળી છે. મૂર્તિ ઉપર લેખ નથી. શ્રી.અંબિકાદેવીની મૂર્તિ પણ ૧ છે. મૂળ મંદિરને ચારે બાજુએ ચાર વિશાળ મંડપ છે. તેના મુખ્ય મંડપ અને રંગમંડપિ જુદા જુદા છે. મુખ્ય મંડપમાંથી રંગમંડપમાં જવા માટે નાળ મૂકેલી છે. નાળની બહાર એક ખુલ્લી કમાન છે અને ઊંચે એક નાળમંડપ છે. મૂળ મંદિરના ૪ દ્વારે ઉપર ખૂણામાં ઉપરાઉપરી બન્ને દેરાસરો છે. આ દેરાસરે પકી વાયવ્ય ખૂણના દેરાસરને “કર્માપ્રથમ મહાધર ચૈત્ય, અગ્નિખૂણાના દેરાસરને “કપ્રથમ મહાધર ચેત્ય”, ઈશાન ખૂણાના દેરાસરને “સ્તંભનકાવતાર ચિંત્ય” અને નૈત્ય ખૂણાના દેરાસરને “અરિઘાત ચતુર્થ મહાધર ચૈત્ય” એવાં નામે શિલાલેખમાં આપ્યાં છે. ચારે દિશાના આ ચાર મંદિર જુદી જુદી વ્યક્તિઓએ બનાવ્યાં છે. ૯. એજન, લેખક. ૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy