SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીથી લેખંડી ભવ્ય દરવાજામાં પ્રવેશ કરતાં જમણા હાથ તરફ એક સુંદર જળકુંડ આવે છે. તેના ઉપર કેટલાંક દેવી દેવતાની મૂર્તિ પધરાવેલી છે. પાસે બે નાની સરખી દેરીએ છે. અહીં શિવ અને પાર્વતીની એક કળામય મૂર્તિ આપણું નજરે પડે છે. ડાબા હાથ તરફ ભોજનશાળાનું મકાન છે; જે સાદડીવાળા શેઠ પન્નાલાલ પૂનમચંદજીએ બંધાવેલું છે. તેની પાસે જ સં. ૧૯૯હ્માં સાદડીવાળા શેઠ ન્યાલચંદ નથમલજીએ એક સુંદર ધર્મશાળા બંધાવી છે. તેની સામે એટલે માર્ગની જનનું બાજુએ કૂવે છે અને તેની પાસે જ અમદાવાદનિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની માણેકબેન શેઠાણીએ સં. ૧૯૮ માં બંધાવેલી મોટી સુંદર ધર્મશાળા છે. આ ધર્મશાળાથી દક્ષિણ દિશામાં લગભગ ૨૦૦ ગજ છેટે શ્રી. નેમનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરની નજીકમાં પરંતુ કેટની બહાર અગાઉ કહેલું સૂર્યનારાયણનું મંદિર વિદ્યમાન છે. શેઠાણું માણેકબેને બંધાવેલી ધર્મશાળાની પૂર્વ દિશામાં જૂની ધર્મશાળાના માર્ગે જતાં વચ્ચે શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિરથી લગભગ ૭૫ ગજ છેટે વિશાળ વંડાથી ઘેરાયેલી જૂની ધર્મશાળા છે. તેના દરવાજામાં પ્રવેશ કરતાં વચ્ચે મેટું ગાન છે. એક તરફ ફૂલે અને અને સ્નાનાગાર છે અને ચારે દિશામાં બાંધેલી ધર્મશાળાની લગભગ ૪૧ એરડીઓ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીકાર્યાલય અહીં જ છે, જે યાત્રીઓ માટે વાસણ-ગોદડાં તેમજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy