SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર માઈલ દૂર મેવાડના સાયરા ગામે પહોંચાય છે." અહીંથી એક માર્ગ દેસૂરીની નાલને છે. ઉત્તર દિશા તરફની પહાડીમાં રાણુ કુંભાએ વસાવેલા કુંભલગઢને પ્રસિદ્ધ કિલ્લે જોવાય છે. આ કુંભલગઢથી ૧૦-૧૨ માઈલ દૂર માલ ગઢ નામે ગામ છે; જ્યાં ધરણશાહ અને રત્નાશાહ રહેતા હતા. કુંભલગઢ અને માલપુરના રસ્તે માદ્રી પર્વત આવે છે. એ પર્વતની તળેટીમાં માદડી ગામના સ્થળ ઉપર રાણના નામથી રાણકપુર વસાવવામાં આવ્યું છે. રાણકપુર તીર્થને કેટ: ચારે તરફને કેટ ૫૯ વીઘાના વિસ્તારવાળી જમીનને ઘેરી વળે છે. એ કોટમાં ઊભેલાં મકાને—ધર્મશાળાઓ, મંદિરે અને તે અંગે રહેતા મુનિમ, પૂજારીઓ અને પહેરેગીરે વગેરે સિવાય અહીં બીજા કોઈ મકાન કે વસ્તી નથી. મંદિરના કંપાઉંડમાં પ્રવેશ કરતાં મઘાઈ નદીના બેઠા ઢાળવાળા પૂલ ઉપર થઈને જવાય છે. નદીને જોતાં જ મેહ કવિની કાવ્યપંક્તિઓનું સ્મરણ થઈ આવે છે : “નિરમલ નાર વહઈ વીચ ગંગે પાપ પખાલ સુઅંગે ” સાચે જ, નદીનાં વહેતાં ગંગા જેવાં નિર્મળાં નીરમાં પાપ ધંઈ નાખી પવિત્ર થઈને આપણે પ્રભુના તીર્થ મંદિરમાં જવા માટે દરવાજામાં પ્રવેશ કરીએ છીએ. પ. જુઓઃ “મેરી ગેડવાડ યાત્રા” લેખક શ્રી વિજ્યવતીન્દ્રસૂરિજીઃ પ્રકાશક: રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય. પૃ. ૬૦-૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy