SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડવાડ છતાં એને તીર્થનું ગૌરવ અપાય છે. એવાં તીર્થોની યાત્રા વેળા પણ એકાદ એવી અપૂર્વ ઘડી આવી જાય છે ત્યારે જીવન કૃતકૃત્ય બની જાય છે. આ કારણે અહીંની પંચતીથીરૂપ ગણાતા યાત્રાધામને ઈતિહાસ જાણવા પ્રેરણાદાયી નીવડશે. કેમકે અતીતના ગૌરવમાં જ આપણું મહામૂલા સંસ્કારને વારસો સાંપડે છે, એથી જ એવા પુનિત ધામેને ઈતિહાસ જાણીને યાત્રા કરવાથી આપણી સંસકાર–સમૃદ્ધિ અને આધ્યાત્મિક ભાવના વિકસિત થાય છે અને વધુ ઉજજવલ બને એ અનુભૂત બીના છે. અધ્યાત્મજીવી માની પરંપરામાં જ જેનધર્મને વારસો ઊતરી આવે છે એવી લેકપ્રતીતિ છે. [ આ પંચતીથીમાં મુખ્ય તીર્થ રાણકપુર છે. યાત્રાળુઓને રાણપુર આવવા માટે પશ્ચિમી રેલવે (W. R)ની નાની લાઈનમાં આવેલા આબુ અને અજમેરની વચ્ચેના રાણી કે ફાલના સ્ટેશને ઊતરવું. ફાલનામાં જૈન ધર્મશાળા અને જૈન મંદિરે છે. ફલનાથી ૧૬ માઈલ દૂર સાદડી સુધી મેટર બસ જાય છે. વચ્ચે ખુડાલા, બાલી, કોટ અને મુંડારા ગામે આવે છે. કોટ સિવાય બધાં ગામોમાં પ્રાચીન જૈન મંદિર છે. એ ગામોને વટાવીને સાદડી મુકામે આવવું પડે છે. સાદડીથી ૬ માઈલ દૂર ભરચક ઝાડીવાળા પહાડી રસ્તે રાણકપુરનું તીર્થ આવેલું છે. સાદડીથી વાહન મળી શકે છે. ] રાણકપુર જતાં સાદડી આવનાર યાત્રાળુઓએ, સાદડીનાં મંદિરના દર્શનને લાભ લઈ શકાય એ ખાતર સાદડીની હકીક્ત જાણવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy