SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ૭. वसेन चतुदसेन राजेन वधमानस [1] त्रिति अमुतपदानि इअ सुअनुठितानि ૨. नेयंति स्वर्ग दम चाग अप्रमाद [1] દેવાના દેવ વાસુદેવ(કૃષ્ણ)ને આ ગરુડધ્વજ અહી મહારાજ અંતતિલકિતની પાસેથી રાન્ન કૌત્સીપુત્ર ભાગભદ્ર ત્રાતા, જે રાજ્યના ચૌદમા વર્ષે વૃદ્ધિ પામી રહ્યા છે તેમની પાસે આવેલા તક્ષશિલાના યવનદૂત, દિયના પુત્ર, ભાગવત હેલિયેાદારે કરાવ્યો છે. ૮. ઃઃ · ત્રણ અમૃત પદે અહીં સારી રીતે આચરવામાં આવે તે સ્વગે લઈ જાય છેઃ દમ, ત્યાગ (અને) અપ્રમાદ.’’ ભારતીય અભિલેખવિદ્યા આ લેખ પણ પ્રાકૃત ભાષામાં છે. એ મેસનગર અર્થાત્ વિદિશાનગર (જિ. ભાપાલ, મધ્યપ્રદેશ)માં શિલાસ્ત ંભ પર કોતરેલા છે. ત્યાં આકર દેશ(પૂર્વ માળવા)ની રાજધાની વિદિશા હતી. ત્યાં ભગવાન વાસુદેવ(વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ)નુ મંદિર હશે, તે એની આગળ ગરુડના ધાટની શિરાવટીવાળે સ્તંભ ઊભા કરવામાં આવ્યું હશે. હાલ એ મંદિર તથા આ સ્તંભ પરની ગરુડ શિરાવટી મેાજૂદ નથી. આ સ્તંભ પરના લેખ ‘Select Inscriptions'' માં Book II ના નં. ૨ તરીકે આપેલા છે. પ્રાચીન મારતીય મરેવાંા અધ્યયન' ના પ્લ૩ ૨ માં પણ આપેલે છે (પૃ. ૨૪). * * Jain Education International આ લેખ ભાગવત સંપ્રદાયના પ્રાચીન પ્રસાર પર પ્રકાશ પાડે છે. ભગવાન વાસુદેવના ઉપાસકોના સંપ્રદાય ત્યારે ‘ભાગવત’ નામે ઓળખાતા. ભગવાન વાસુદેવ વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા. ગરુડ વિષ્ણુ ભગવાનનુ વાહન છે. આથી જેમ શિવના મંદિર આગળ નદીનુ પ્રતીક હોય છે, તેમ વિષ્ણુના મંદિર આગળ ગરુડનુ હોય છે. વિદિશામાં ત્યારે ભાગભદ્ર નામે રાજા રાજય કરતા હતા. એ કૌત્સીનેા પુત્ર હતા અર્થાત્ એનાં માતા કૌત્સ ગોત્રનાં હતાં. એ સમયે ઘણા રાજાએ સામાન્ય રીતે માતૃગેાત્રના નામે ઓળખાતા. પ આ ગરુડધ્વજ કરાવ્યો એ બનાવ આ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy