SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૩૭ પરંતુ રાજ ધારે તે એમાં માફી આપી શકતો. અંગચ્છેદમાં સહુથી ભારે સજા ચક્ષછેદની હતી. અશોક આવી સજામાં અનેકવાર માફી આપતો. આથી જેનાં ચક્ષુ ફેડી નખાવાનાં હતાં, તેને જાણે ચક્ષુ પાછાં મળ્યાં એવું લાગતું. જેમ દેહાંતદંડ પામેલા અપરાધીને એ દંડમાં માફી મળે, તો એને “જીવનદાન મળ્યું ગણાય, તેમ ચક્ષછેદની સજાવાળાને માફી મળતાં ચક્ષુદ્દન મળ્યું ગણાય. અશોક હળવી સજાની ભલામણ કરતા તેમ જ દેહાંતદંડને અપરાધીઓને પણ કૃપાના ત્રણ દિવસ આપતો ને એ દરમ્યાન તેઓના સંબંધીઓ અધિકારીઓને તેઓને જીવન દેવા સમજાવી શકે તો તેમ કરવા તક આપતો.૩૪ અશોક પિતે તો ચક્ષુદાન ઉપરાંત પ્રાણદાન સુધીનું દાક્ષિણ્ય (કૃપા) દર્શાવતો. એને આ અનુગ્રહ (કૃપા) મનુષ્ય પૂરતો મર્યાદિત નહોતા. બેપગ તેમ જ ચોપગાં, પક્ષીઓ તેમ જ જલચરે – સહુ પ્રકારનાં પ્રાણીઓ તરફ એ અનુગ્રહ કરતો. “દાંત સાટે દાંત અને આંખ સામે આંખ ના ન્યાયે (નિયમે) માનવેતર પ્રાણીઓને પણ અંગચ્છેદ તથા દેહાંતની સજા થતી હશે એવો અર્થ અહીં અભિપ્રેત લાગે છે. અશોકે આ ધર્મલેખ લખાવીને શિલાતંભ પર કોતરાવ્યો છે, જેથી એ લાંબો સમય ટકે. પણ એની પાછળ એનો હેતુ પિતાની ચિરકાલીન કતિ કે નામના રાખવાનો નહિ, પણ એ ધર્મલેખ વાંચીને લોકો એ પ્રમાણે વર્તતા રહે ને એ લેખ લાંબો સમય ટકે તે લોકો એનો લાભ લાંબો સમય લેતા. રહે એ છે. એ કહે છે કે આ લેખ પ્રમાણે જે વર્તન કરશે તે સુકૃત કરશે ને આ લોકમાં તેમ જ પરલોકમાં હિતસુખ પામશે. ૫, ભાગભદ્રના સમયને બેસનગર ગઢડસ્તંભલેખ १. देवदेवस वासुदेवस गरुडध्वजे अयं ૨. રિતે ફલ્મ ફેસ્ટિગોઢોળ મા - ३. वतेन दियस पुत्रेण तख्खसिलाकेन ४. योनदूतेन आगतेन महाराजस ५. अंतलिकितस उपंता सकासं रनो ६. कोसीपुत्रस भागभद्रस त्रातारस Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy