SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર એ જ અરસામાં એવું બન્યું કે, કચ્છ-કોડાયના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ શ્રીમદ્ રાજચંદ્રને મળવા વવાણિયા જવા નીકળ્યા. તેઓએ સાંભળ્યું હતું કે વવાણિયા નિવાસી કવિરાજ રાયચંદભાઈ મહા બુદ્ધિશાળી છે. એમની ખ્યાતિથી આકર્ષાઈ આ બંને ભાઈએ સાંઢણી ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તેઓ તે મોરબી ગયા છે. એટલે એ બંને ભાઈઓ મેરબી તરફ રવાના થયા. ત્યાં એવા સમાચાર મળ્યા કે, રાયચંદભાઈ એમને મોસાળ રાજકોટ ગયા છે. એટલે તેઓ મોરબીથી રાજકોટ તરફ ઊપડ્યા. આ તરફ શ્રીમદ્ રાજચંદ્રનું જ્ઞાન નિર્મળ હેવાથી તેમને જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર બેસી તેમને મળવા આવી રહ્યા છે. એટલે શ્રીમદ્ ધારસીભાઈ પાસે ગયા અને બોલ્યાઃ “બે જણ કચ્છથી આવનાર છે. તેમને ઉતારે તમારે ત્યાં રાખશે?” ધારસીભાઈએ કહ્યું: “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારે રાખજે. હું તેમને માટે બધે બંદોબસ્ત કરીશ.” એટલે એ બાબતમાં નિશ્ચિત થઈ શ્રીમદ્દ એ ભાઈઓના આવવાના માર્ગ તરફ સામા ગયા. એ બંને ભાઈ ઓ નજીક આવ્યા, એટલે શ્રીમદ્ રાજચંદ્ર તેમને નામ દઈને બેલાવ્યાઃ “કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ?” આ સાંભળીને એ બંને જણા વિચારમાં પડી ગયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy