SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ઓગણીસસેં ને એકત્રીસે. આવ્યો અપૂર્વ અનુસાર રે; - ઓગણીસસેં ને બેંતાલીસે. અદ્ભુત વૈરાગ્યધાર રે.” વળી એ જ ભાવ દર્શાવતું બીજું એક કાવ્ય સં. ૧૯૪૫માં લખેલું, એમાં શ્રીમદ્ જણાવે છેઃ લઘુ વયથી અદ્દભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ, એ જ સૂચવે એમ કે, ગતિ-આગતિ* કાં શોધ? જે સંસ્કાર થે ઘટે, અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય?” પરંતુ આ જાતિસ્મરણ જ્ઞાન વિશે વધુ ચર્ચામાં તેઓ પછીથી મોટી ઉંમરે પણ ઊતરતા નહિ. અમુક વખતે કઈ પરિચિત માણસ આગળ પિતાના એ અનુભવની તેવી કોઈ વાત બોલાઈ ગઈ હોય, તે તે ઉપરથી ઘણા એ બાબત તેમને પૂછપરછ કરતા. તેમના પરિચયમાં આવેલા ભક્તોના શબ્દો ટાંકીએ તો, શ્રીમદે તેમને જાતે કહેલું કે પોતે મહાવીર સ્વામીના શિષ્ય હતા, અને અમુક પ્રકારનું પ્રમાદ કરવાથી તેમને આટલા ભવ–૮૦૦ જેટલા ભવ– કરવા પડ્યા હતા. પરંતુ એ વિશે તેમના સંબંધીઓ તરફથી ભારપૂર્વક પૂછવામાં આવતાં શ્રીમદ્દ “એ બાબતને મને અનુભવ છે.” એટલું * જીવનું આવવું અને જવું એટલે કે પુનર્જન્મ. 1 જુઓ પ્રકરણ ૧૧મું, નડિયાદમાં શ્રી મોતીલાલભાઈ સાથે પ્રસંગ; તેમ જ ઇડરના મહારાજા સાથે વાર્તાલાપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy