SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કહીને ચૂપ થઈ જતા અને તે વિશે નકામી કુતૂહલવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરતા. ' ૨૬મા વર્ષમાં લખેલા એક પત્રમાં શ્રીમદે જણાવ્યું છે: ““પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચલ છું.”—એ વાક્ય પૂર્વ ભવના કઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાવ કર્યા છે. તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખ્યું છે.” શ્રીમદ રાજચંદ્ર કહેતા કે, શાસ્ત્રમાં ઘણી વાર કહેવામાં આવ્યું છે કે આત્મા ઉપર અજ્ઞાન અને કર્મોનાં પડળ ફરી વળ્યાં છે, તેથી આત્મા પોતાની અનેક શક્તિઓ અને શુદ્ધ સ્વરૂપ ગુમાવી બેઠે છે. જેમ જેમ મનુષ્ય પોતાની એ મલિનતા દૂર કરતો જાય છે તેમ તેમ તેની તે શક્તિઓ પ્રગટ થતી જાય છે. જે તત્ત્વ જાણવાની અને પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી મોટી ઉંમરેય પણ લેકમાં નથી જાગતી, તે તત્વ પ્રાપ્ત કરવાની જે ધાલાવેલી શ્રીમદ્ રાજચંદ્રમાં ઘણી નાની ઉંમરથી જણાય છે, તે ઉપરના સિદ્ધાંતથી જ સમજી શકાય છે. બાવીસ વર્ષની વય સુધીમાં શ્રીમદ્દ કઈ કઈ સ્થિતિમાંથી પસાર થઈ ગયા એનું ચિત્રણ તેમણે “સમુચ્ચય વયચર્યામાં સચોટ રીતે કર્યું છે એ અહીં વિચારવા છેઃ બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy