SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ની જીવનસાધના આપણને એટલી જ પ્રેરણાદાયક અને જીવનપ્રેરક છે. તેઓશ્રીના પાવનકારી જીવનમાં અવગાહન કરીને આત્મસિદ્ધિના પંથે વિચરીએ. શ્રીમદ્ રાજચંદ્રના દાદાજી શ્રી પંચાણભાઈ મહેતા મોરબી પાસે આવેલા માણેકવાડાના મૂળ રહીશ હતા. ત્યાંથી પિતાના ભાઈએથી જુદા થઈ તેઓ સંવત ૧૮૨માં વવાણિયા રહેવા આવ્યા હતા. વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું. એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મ થયે હતે. વવાણિયામાં પંચાણદાદા વહાણ બંધાવી વહાણવટાનો ધંધો કરતા. સાથેસાથે વ્યાજવટાવને પણ ધંધે સારા પ્રમાણમાં કરતા હતા. પંચાણદાદાની મેટી ઉંમર થતાં એકે દીકરા જીવ્યા નહિ, પણ પછી શ્રી રવજીભાઈને જન્મ સંવત ૧૯૦૨ના મહા માસમાં થયે. - શ્રી રવજીભાઈ એ શ્રીમદ રાજચંદ્રજીના પિતાજી થાય અને શ્રી દેવબાઈ એ શ્રીમનાં માતુશ્રી થાય. શ્રી રવજીભાઈ ચૌદ વરસના થયા ત્યારથી વવાણિયામાં તથા ચમનપર વગેરે આજુબાજુનાં ગામમાં વ્યાજવટાવનું કામ કરતા હતા. શ્રી રવજીભાઈ વવાણિયાના ઠાકરના દેવમંદિરના ચેરામાં સરખેસરખી ઉંમરના સાથીદારે સાથે હરવખત બેસતા. ત્યાંના ભાટ લોકો વાર્તાઓ-કથાઓ કરે ત્યારે કેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy