SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.* આ દષ્ટિએ મારે વિચાર કરું તે મારે નમ્રપણે કબૂલવું જોઈએ કે એવી સુપાત્રતા મારામાં લેશમાત્ર પણ નથી! પરંતુ આવા પવિત્ર મહાત્માનું જીવનચરિત લખવાના નિમિત્ત મને તેઓશ્રીનાં જીવન તેમ જ દર્શનને અભ્યાસ કરવા મળે તથા એ રીતે શ્રેયપંથે જવાનું થોડું ઘણું પણ ભાથું મળી રહે એવી નિર્મળ મતિ રાખીને “ વિષય મતિઃ' હોવા છતાં પણ આ પવિત્ર કાર્ય મેં નમ્રતાપૂર્વક હાથ ધર્યું છે. શ્રેયાર્થીને શ્રીમદ્ રાજચંદ્રજીની આ જીવનસાધના વાંચી તેઓશ્રીની ઉપદેશ-સમૃદ્ધિનું અનુશીલન કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ નમ્ર પ્રયાસ સફળ થયેલે હું માનીશ. મુ. શ્રી રસિકલાલભાઈએ આ પુસ્તકનું “પુરોવચન લખી આપીને એની મૂલ્યવત્તા વધારી આપી છે એ બદલ તેઓશ્રીને પણ આભાર માનું છું. આ જીવનસાધના તૈયાર કરવામાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં લખાણોને તેમ જ તેઓશ્રી અંગે આજ લગી લખાયેલાં લખાણને મેં ઉપયોગ કર્યો છે એ સૌને હું અંતઃકરણપૂર્વક આભારી છું. છેવટે, શ્રીમદ્ રાજચંદ્રજીનાં પાવનકારી ચરણકમળમાં શ્રદ્ધાભક્તિપૂર્વક મસ્તક નમાવી પ્રાથું છું કે, તેઓશ્રીએ ઉપદેશેલા ધર્મતત્વને જીવનમાં ઉતારવાની મને શક્તિ આપે. અને એ ધર્મતત્ત્વ એટલે શું? ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને; જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. * “આત્મસિદ્ધિશાસ્ત્ર” ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy