SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર–ઉદ્ગાર પરમ પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત લખવાની પવિત્ર તક “શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી મંડળે” મને આપી એને હું મારા જીવનને એક ધન્ય અવસર જ માનું છું. એ બદલ હું શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી મંડળ”ને આભાર માનું છું. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન યથાર્થ રીતે આલેખવા માટે તે સુયોગ્ય અધિકારની આવશ્યકતા છે. એવો સુપાત્ર અધિકારી જ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્યંતર જીવનમાં અવગાહન કરી એનું સુરેખ અને શ્રેયાર્થીને સહાયક થાય એવું નિરૂપણ કરી શકે. અને અધિકાર-સુપાત્રતા અંગેની શ્રીમદ્ રાજચંદ્રજીની વ્યાખ્યા પણ લક્ષમાં લેવા જેવી છેઃ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદિયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy