SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં આ સાઘને આ પ્રથા રીતે છે. ઉપરાંત શ્રીમદ્જીનાં પિતાનાં લખાણ –ધો, પત્રો-ગ્રંથે વગેરે સાહિત્યને પણ વિવેચક દષ્ટિએ તપાસવાં આવશ્યક ગણાય. શ્રી મુકુલભાઈએ “શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના” લખતાં પહેલાં આ બધી સાધના કરી છે કે નહિ તે હું જાણતા નથી. એ માટે સમય, સાધનો વગેરે જોઈએ. એટલે એ દષ્ટિએ આ ગ્રંથને હું જેતે નથી. પરંતું આ ગ્રંથ વાંચનારને શ્રીમદ્જીના જીવનની કેવી ઝાંખી થાય એ દષ્ટિ મેં રાખી છે. એ રીતે જોતાં આ ગ્રંથથી મને એકંદરે સંતોષ થયે છે. શ્રી. મુકુલભાઈએ શ્રીમદ્દજીના લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાઓ સાદી, સ્વચ્છ અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. એમના આંતર જીવનનાં લેકોત્તર અનુભવો એમણે ટાળ્યા નથી પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એની પાછળના વસ્તૃસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખકની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પિતે એ કેત્તર માગને વિહારી હોય. એટલે આવા કેઈ ગજા બહારના ઉહાપોહમાં પડ્યા વિના શ્રીમદ્જીનાં લખાણોના આધારે અને તેમના સમાગમમાં આવેલી વ્યક્તિઓનાં કથનોના આધારે શ્રી મુકુલભાઈએ યચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેને એમને આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તે આવો શ્રમ વ્યર્થ લાગે. પિતાને ગમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ–અનુભવોને તિરસ્કારવાનું કે ગોપાવવાનું ચાપલ એમણે કર્યું નથી. શ્રીમદ્જીનાં લખાણોમાંથી કળાતું અને સમાગમીઓના કથનથી સમર્થિત થતું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. આવા લેકોત્તર પુરુષોના જીવન સમક્ષ તે ભવભૂતિએ કહી છે એવી નમ્રતા જ યોગ્ય છેઃ જોવોત્તરાજ રેતifસ છે fહ વિશાતુમéક્તિા. તા. ૨૨-૪-૬૫ ૧૧, ભારતી નિવાસ સોસાયટી એલિસબ્રિજ, અમદાવાદ-૬. રસિકલાલ છો. પરીખ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy