SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ઉપશમનું નિર્મળ પણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશામાં આવે, તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. આવી વ્યાપક ધર્મદષ્ટિવાળા શ્રીમદ્ હોવાથી ગાંધીજીની મૂંઝવણ બરાબર પામી શક્યા હતા. અને એમના ધર્મસંસ્કારને અનુલક્ષીને જ એમને શ્રીમદ્ માર્ગ દર્શાવતા હતા. એટલે જ ગાંધીજી સાથે ધર્મ અંગે ચર્ચા કરતાં તેમણે કઈ દિવસ એવું કહ્યું નથી કે, ગાંધીજીએ મેક્ષ મેળવવા ખાતર અમુક ધર્મને અવલંબ જોઈએ. તેમણે ગાંધીજીને પિતાને આચાર સમજવાનું, પિતાનો અંતરાત્મા જે પ્રમાણે દરે એ પ્રમાણે જીવન વિશે વિચારવાનું જ કહ્યું હતું. શ્રીમદે સૂચવેલાં પુસ્તક પણ મુખ્યત્વે હિંદુ ધર્મનાં જ હતાં. કારણ કે ગાંધીજી પણ હિંદુ ધર્મની ખૂબીઓ સમજવા પ્રયત્ન કરતા હતા. તેથી તેમની મૂંઝવણ દૂર થાય અને તેમને સાચું માર્ગદર્શન મળે એ વાત લક્ષમાં રાખીને જ શ્રીમદે તેમને દરવણી આપવાનું રાખ્યું હતું. આ - જે શ્રીમની જગ્યાએ બીજું કઈ હેત, તે જિજ્ઞાસુની આવી ધર્મસંકટની વેળાને લાભ ઉઠાવીને એના મન પર પોતાનાં મંતવ્ય, માન્યતા કે વિચારેને જોરશોરથી ઠોકી બેસાડવા જ તેણે પ્રયત્ન કર્યો હોત, પરંતુ શ્રીમદ્ વ્યાપક ધર્મદષ્ટિવાળા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy