SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૯૫૩માં–૨૯ વર્ષની વયે પિતા વિશે આ નેધ શ્રીમદે કરી, તેમાં તે તે ઘટનાને વર્ષવાર નિર્દેશી છે. આવી અનેક બાબતે જેમના જીવનચરિતમાં ઘટનાઓ રૂપે વણાઈ હોય તેની બુદ્ધિગ્રાહ્ય કથા શી રીતે લખાય? આ વિજ્ઞાનયુગમાં આવી બાબતોનું હજી સંશોધન થયું નથી. જે કાંઈ જાણીએ છીએ તે કાં તે શ્રદ્ધા રૂપે કહેવાય છે, વહેમ રૂપે કહેવાય છે, કે કવિકલ્પના તરીકે આસ્વાદાય છે. વળી,–“અમુક સાલમાં શ્રીમદે ઝવેરાતને ધંધો શરૂ કર્યો એ ઘટના સરળતાથી સમજમાં આવે એવી રીતે જે કહી શકાય તેવી શ્રીમદ્દને અમુક સાલમાં “ધારા ઉલસી” કે અપૂર્વવૃત્તિ' આવી, કે પૂર્વભવના જોગનું સ્મરણ થયું' એ બાબતેને એવી રીતે ઘટનાઓ તરીકે કહી શકાય? - શ્રીમદ્દનું માનસ તેમના વ્યવહારજીવનથી અને તેમના દાર્શનિક ઝીણવટવાળાં લખાણેથી જે સમજાય છે તે ઉપરથી, તરંગમાં આવી કે કોઈ ભ્રમણાની પ્રેરી કે કઈ મહિમા બતાવવાની વૃત્તિથી, આવું માનવા કે લખવા પ્રેરાય એવી આ વ્યક્તિ લાગતી નથી. એમના ગાઢ પરિચયમાં આવેલા ગાંધીજીને આ વિશે બહુ સ્પષ્ટ અભિપ્રાય છેઃ “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.૩ અર્થાત કે એમનાં માનસની લઢણ બુદ્ધિપ્રધાન તાર્કિકની છે, પિતાના મનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી શકે એ જાતનું એ ચિત્ત છે. પિતાને જ્યારે “હરિરસ"ની તાલાવેલી થઈ છે અને એની મસ્તી” આવી છે ત્યારે પણ એ પોતાની વૃત્તિઓના નિરીક્ષક દેખાય છે. અર્થાત કે એક પક્ષે લખનાર સ્વસ્થ બુદ્ધિને અનાડંબરી ૩ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી પૃ. ૪૬ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy