SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૧૨૩ ઉપર પડી, તેથી તેઓ તેમની પાસે તેમને કહેવાનું હેય એ સાંભળવા બેઠા અને વરઘોડામાં ન ગયા. એટલે જૂઠાભાઈએ શ્રીમદ્ સંબંધી ગુણગ્રામ કર્યા અને તેમના ઉપર આવેલા શ્રીમના પત્રે એ ભાઈઓને વંચાવ્યા. તે ભાઈઓએ ત્યાં ને ત્યાં એ પત્રોની નકલ કરી લીધી. - લગ્ન-નિમિત્તે અમદાવાદ આવેલા, પણ જૂઠાભાઈને સતસમાગમે તેઓને ધર્મની લગની લાગી ગઈ. એ ભાઈઓમાં પણ શ્રીમનાં દર્શન તેમ જ સમાગમ કરવાની અભિલાષા જાગી ઊઠી અને એ લોકોએ શ્રીમને ખંભાત પધારવા વિનંતી-પત્ર પણ લખી નાખે. અંબાલાલભાઈ વગેરે પછી શ્રીમદના નિકટ અનુયાયી બન્યા એ વાત આગળ આવશે. જૂઠાભાઈનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહેલું. તે પ્રસંગે શ્રીમદે જૂઠાભાઈને લખેલા ધર્મધ્યાન પ્રેરનારા અનેક પત્રો તેમને બહુ લાભદાયક અને જીવનપ્રેરક નીવડ્યા હતા. પરિણામે “મોક્ષ માગને દે એવું સમ્યકત્વ તેમના અંતરમાં પ્રકાણ્યું હતું. જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ત્રીજના રોજ શ્રીમદ્દ લખે છેઃ આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અસાડ સુદી નેમ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy