SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૨૧ આ રીતે શ્રી જૂઠાભાઈ શ્રીમના પરિચયમાં આવ્યા. શ્રીમદ્ ઘણી વાર જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાત કહી બતાવવાના પ્રોગ કરતા, તેથી તેમને તથા બીજા હાજર રહેલા માણસોને બહુ આશ્ચર્ય થતું. શ્રીમદ્ બહુ મોટા વિદ્વાન છે એમ જૂઠાભાઈને લાગતું. પણ જૂઠાભાઈને આત્મકલ્યાણની ભૂખ તે વખતે લાગેલી નહિ, તેથી તેમને શ્રીમદ્દનું યથાર્થ ઓળખાણ થયેલું નહતું. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અવધાનના પ્રયોગ પણ કરી બતાવ્યા હતા. એ જોઈને જૂઠાભાઈ શ્રીમદ્ તરફ વધુ આકર્ષાયા. અને શ્રીમની સરભરામાં તે રહેવા લાગ્યા એ દરમ્યાન ધીમેધીમે પરિચય વધતું ગયો તેમ તેમ તેમને શ્રીમની સાચી મહત્તા સમજાતી ગઈ અને પૂર્વના સંસ્કારોને બળે આગળ જતાં તે શ્રીમદુના સમાગમથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામી શક્યા. એક વખત શેઠ દલપતભાઈને પુસ્તક ભંડાર જેવા શ્રીમદ્ જૂઠાભાઈની સાથે ગયા હતા. એ વિશે જૂઠાભાઈ એ શેઠ જેસંગભાઈને વાત કરેલી છે. શ્રીમદ પુસ્તકોનાં પાનાં માત્ર ફેરવી જતા અને એ પુસ્તકનું રહસ્ય સમજી જતા. વવાણિયા જઈ આવી ફરીથી સં. ૧૯૪૫માં કાર્તિક સુદ પૂર્ણિમાના અરસામાં શ્રીમદ્દ અમદાવાદ આવ્યા હતા. ઘણા જિજ્ઞાસુઓ તેમની સાથે વાર્તાલાપ કરવા આવતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy