SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo શ્રીમદ્ રાજચંદ્ર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭માં રહ્યા હતા, તે વખતે કેઈ ન જાણે એમ એકાંતમાં રહ્યા હતા. સં. ૧૯૫૧માં શ્રીમદ્ નિવૃત્તિ લઈને સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે હડમતાળા (હડમતિયા) નામના નાના ગામ તરફ રહ્યા હતા. ત્યાં વડેદરા, બોટાદ, સાયલા, મોરબી વગેરે સ્થળેથી મુમુક્ષુજને આવ્યા હતા અને અનેક જીવને સત્સમાગમ, બેધ વગેરેને લાભ મળે હતે. પછી હડમતાળાથી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ના આ માસમાં શ્રીમદ્ રહ્યા હતા. મુંબઈથી સં. ૧૫રમાં શ્રીમદ્ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરોતરમાં ગયા હતા. તેઓ અંબાલાલભાઈ, સેભાગભાઈ તથા ડુંગરશી ગેસાનિયા સાથે બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્દ ખંભાત પાસે રાળજ ગામમાં પારસીને બંગલે આઠદસ દિવસ રહ્યા હતા. પછી એકવાર ખંભાત પાસે વડવા સ્થાને શ્રી લલ્લુજી મહારાજ અને બીજા પાંચ મુનિએ શ્રીમદ્દ સમાગમ કરવા ગયા હતા. શ્રીમદે વડવામાં એકાંત સ્થળે એ છે મુનિઓને બોલાવ્યા હતા. ત્યાં તેઓએ છ દિવસ રહી શ્રીમનાં શ્રીમુખેથી પરમ બેધ ગ્રહણ કર્યો હતે. છઠ્ઠા દિવસે શ્રીમદે એ છ મુનિઓને જીવન પ્રેરક શિક્ષા આપતાં કહ્યું હતું : “તમે ગૃહ, કુટુંબ, પરિવાર તેમજ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy