SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાને, અથવા તે મંદિરમાં, દેહેરાંઓમાં, દેવળમાં ને મસ્જિદોમાં જ પાળવાને, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એ કોઈ નિયમ નથી, એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા ને પોતાના આચારમાં બતાવી આપતા. તેમને વેપાર હીરામોતીનો હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સેદા કરતા તે વખતે હું કઈ વાર અનાયાસે હાજર રહેતા. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી” જેવું હું કંઈ જેતે નહિ. સામેનાની ચાલાકી પિતે તરત કળી જતા, તે તેમને અસહ્ય લાગતી. એવે વખતે તેમની ભ્રકુટી પણ ચડતી, ને આંખમાં લાલાશ હું જોઈ શકતો હતો. “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટે સિદ્ધ કરી બતાવ્યું હતું. પિતાના વેપારમાં પૂરી કાળજી ને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું છતાં પારિસ વગેરેના તેમના આડતિયા તરફથી આવેલા કાગળો, તારોના મર્મો તરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy