SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેય છે. સમ્યક્રશનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” - આ વાતના સમર્થનમાં શ્રીમના જીવનને એક પ્રસંગ જોઈએ. ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજના સાધુઓમાં શ્રી લલ્લુજી મહારાજ કરીને એક સાધુ હતા. તેમને શ્રીમદ્ સાથે ગાઢ પરિચય હતો. શ્રી લલ્લુજી મહારાજના એક શિષ્ય શ્રી દેવકરણજી નામના સાધુ કુશળ વ્યાખ્યાતા હતા. તેઓ એકવાર શ્રીમને મળવા આવ્યા હતા. વાતચીત કરતાં શ્રીમદ રાજચંદ્ર દેવકરણજીને પૂછ્યું: વ્યાખ્યાનમાં કેટલાં માણસે આવે છે? દેવકરણજીઃ “હજારેક માણસે ભરાય છે.” શ્રીમદ્દ સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે? ' દેવકરણજીઃ “કાયાથી નથી થતું, મનથી થાય છે.” શ્રીમદ્ કહેઃ “મુનિએ તે મન, વચન અને કાયા એ ત્રણે વેગથી સાચવવું જોઈએ.” એટલે દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું: “તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy