SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રીમદ રાજચંદ્ર દે તે આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? આ ભૂમિકા ઉપાધિની શેભાનું સંગ્રહસ્થાન છે.” પોષ સુદ ૫, ૧૯૪૭ના રોજ શ્રીમદ્દ લખે છેઃ “અલખનામ ધુની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરાજી; દરશ્યા અલખ દેદારાજી.” માહ વદ ૩, ૧૯૪૭ના રેજને અનુભવ શ્રીમદ્ એક પત્રમાં ટાંકે છેઃ આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઈશ્કેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે.” આમ શ્રીમને ધીરાદાત્ત જીવનપ્રવાહ સંપૂર્ણ વિશુદ્ધ આત્મ સ્થિતિ તરફ અવિરતપણે વહેવા માંડે છે. ચોવીસમા વર્ષમાં એટલે કે ૧૯૪૭માં શ્રીમદ્ રાજચંદ્રની પરમાનંદની મસ્તી વધતી જાય છે. અષાઢ સુદ ૧૩, ૧૯૪૭ને પત્ર જ જુઓઃ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમનેહી છે પરમાનંદજી. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહિ; એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકમાં લખીએ છીએ. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy